॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા અંત્ય-૩૯: વિશલ્યકરણી ઓષધિનું

મહિમા

છેલ્લા પ્રકરણનું ઓગણચાલીસમું વચનામૃત વંચાવ્યાની આજ્ઞા કરીને બોલ્યા જે, “આ વચનામૃતમાં કહ્યું છે એ વાત પણ એક સમજવાની છે.”

[સ્વામીની વાતો: ૫/૩૦૩]

After having Vachanāmrut Gadhadā III-39 recited, Gunātitānand Swāmi said, “What is mentioned in this Vachanāmrut should also be understood.”

[Swāmini Vāto: 5/303]

નિરૂપણ

ગુણાતીતાનંદ સ્વામી કહે, “બ્રહ્મવેત્તાને મતે તો વેદનો માર્ગ જે વિધિનિષેધ તે પણ ગણતીમાં નથી, એમ જડભરતે રહૂગણને કહ્યું. એની સમજણમાં તો આત્મા ને પરમાત્મા એ બે જ વાત રાખવી.” એમ કહ્યું. ને તે ઉપર છેલ્લા પ્રકરણનું છેલ્લું વચનામૃત વંચાવ્યું ને બોલ્યા જે, “આ વચનામૃતમાં પણ આત્મા ને પરમાત્મા એ બે વાતનો વેગ લગાડી દેવો, એમ મહારાજનો સિદ્ધાંત છે.”

[સ્વામીની વાતો: ૧/૨૦૭]

Gunātitānand Swāmi says, “Jadbharat said to King Rahugan that the path the Vedas have shown – that of the moral do’s and don’ts - does not come into consideration for one who is a brahmavettā (i.e. one who knows Brahma). According to his understanding, one should only realize both ātmā and Paramātmā.”

Based on this, Swāmi had Vachanāmrut Gadhadā III-39 read and said, “The principle that Mahārāj establishes in this Vachanāmrut is also the same; that one should only truly have fervor for ātmā and Paramātmā.”

[Swāmini Vāto: 1/207]

નિરૂપણ

ગુણાતીતાનંદ સ્વામી કહે, “આત્મા છે તે મહાતેજોમય છે ને આ જે સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ એ ત્રણ દેહ થકી જુદો માનીને એમ ધારવું જે, ‘હું અક્ષર છું ને મારે વિષે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તે સદાય વિરાજમાન છે.’ તે વિશલ્યકરણીના (અંત્ય ૩૯) વચનામૃતમાં સર્વે વાત છે ને થોડી થોડી વાત તો સર્વે વચનામૃતમાં છે ને કો’ક બાકી હશે, એ આત્માનો મનન દ્વારાયે સંગ કર્યા કરવો જે, ‘હું આત્મા છું, અક્ષર છું.’ એમ જો નિરંતર કર્યા કરે તો એ અક્ષરભાવને પામી જાય છે.”

[સ્વામીની વાતો: ૬/૨૨]

Gunātitānand Swāmi says, “The ātmā is extremely luminous. Believing it to be separate from the gross, subtle and causal bodies, contemplate that ‘I am ātmā and this manifest Purushottam Bhagwān is ever present in me.’ And all these talks are stated in the ‘Vishalyakarani Herbal Medicine’ Vachanamrut (Gadhadā III-39). Such talks are, to some extent, in all the Vachanāmruts and may be absent in some. The contemplation of the ātmā in the mind should continue, ‘I am ātmā, I am Akshar.’ And if this is continually done, one attains the state of Akshar.”

[Swāmini Vāto: 6/22]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase